સલાયામાં ચૈત્રી નવરાત્રીના ચોથા નોરતે ૧૧૧૧ દિવડાનાં દર્શન યોજાયા

0

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી લોહાણા મહાજન વાડી ખાતે દર વર્ષેની જેમ આ વર્ષે પણ લોહાણા મહાજન દ્વારા ચૈત્ર માસમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. શનિવારે ચૈત્રી નવરાત્રીના ચોથા નોરતે માતાજી પ્રાચીન ગરબીની ફરતે ૧૧૧૧ દીવડાના અલૌકિક દર્શન યોજવામાં આવ્યા હતા. લોહાણા મહાજન તેમજ સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભુવા દ્વારા આયોજિત આ ધર્મોત્સવમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લા યુવા પ્રમુખ વનરાજસિંહ વાઢેર, ઇન્દ્રજીતસિંહ પરમાર સાથે તાલુકાભરના આગેવાનો જાેડાયા હતા.

error: Content is protected !!