ખંભાળિયામાં ભગવાન શ્રીરામના જન્મોત્સવની થશે ભવ્ય ઉજવણી : શોભાયાત્રા સહિતના આયોજનો

0

મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવની આવતીકાલે ગુરૂવારે ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ પંથકમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ભગવાન શ્રીરામના જન્મોત્સવ નિમિત્તે આવતીકાલે ગુરૂવારે ખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના ઉપક્રમે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા ખંભાળિયામાં નગર ગેઈટ પાસે આવેલા શ્રી રામ મંદિર ખાતેથી શરૂ થશે. જે મોરલી મંદિર, રંગમહોલ સ્કૂલ, વિજય ચોક, કલ્યાણરાયજી મંદિર, મેઈન બજાર, ગાંધી ચોક, રાજડા રોડ, જાેધપુર ગેઈટ, શારદા સિનેમા રોડ થઈને પુનઃ રામ મંદિર ખાતે પૂર્ણ થશે. આ શોભાયાત્રાના માર્ગોને કમાનો, ઝંડી વિગેરે વડે સુશોભિત કરવામાં આવ્યા છે. જેને વિવિધ મંડળો દ્વારા આવકારવામાં આવશે. રામનવમી પ્રસંગે વિવિધ મંદિરોમાં પૂજન – અર્ચન સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. આ શોભાયાત્રામાં સહભાગી થવા સર્વે હિંદુ ભાઈઓ-બહેનોને વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા અપીલ કરવામાં આવી છે.

error: Content is protected !!