મુંબઈ લોહાણા મહાજન પ્રગતિ ગ્રુપના નવા ટ્રસ્ટીઓને આવકારતું ખંભાળિયા લોહાણા મહાજન

0

મુંબઈ સ્થિત હાલાઈ લોહાણા મહાજનના ટ્રસ્ટના ટ્રસ્ટી પદ માટેની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. આ મહત્વની ચૂંટણીના પ્રતિષ્ઠા ભર્યા જંગમાં પ્રગતિ પેનલના તમામ પાંચ ઉમેદવારોએ નોંધપાત્ર બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યો છે. જેમાં સૌથી વધુ મત મેળવીને વિજેતા બનેલા પ્રગતિ પેનલના સતિષભાઈ જમનાદાસ દત્તાણી, સુરેશભાઈ અમૃતલાલ પોપટ, રાજેશભાઈ કાકુભાઈ ગણાત્રા, રાકેશભાઈ વલ્લભભાઈ કાનાબાર તેમજ મીનાબેન પ્રકાશભાઈ ઠક્કર ચૂંટાઈ આવ્યા છે. મહાજનની કારોબારીમાં પાંચેય ઝોનના મળી પ્રગતિ પેનલના ઉમેદવારો બિન હરીફ ચૂંટાઈ આવ્યા છે. મુંબઈ લોહાણા મહાજનના નવા વરાયેલા ટ્રસ્ટીઓને ખંભાળિયા લોહાણા મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ બરછા, પ્રતાપભાઈ દતાણી, કમલેશભાઈ વિઠલાણી, દિનેશભાઈ દતાણી તથા પરાગભાઈ બરછા સાથે ટ્રસ્ટમાં સેવાઓ આપતા તુલસીદાસભાઈ ભાયાણી, જયેશભાઈ નથવાણી, શૈલેષભાઈ સોમૈયા, નીશિલભાઈ કાનાણી, તેમજ અન્ય હોદ્દેદારો, કાર્યકરો તેમજ જ્ઞાતિજનોએ આવકારી તેઓને શુભેચ્છાઓ પાઠવી છે.

error: Content is protected !!