સાળંગપુરધામ ખાતે શનિવાર-રવિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને ફૂલોનો દિવ્ય શણગાર કરાયો

0

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવાર નિમિત્તે તા.૮, ૯-૪-૨૦૨૩ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા ૭ કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ હતી. દાદાના સિંહાસનને ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવેલ તેમજ દાદાને દાડમનો અન્નકૂટ ધરાવવામાં આવેલ હતો. મંદિરના પરિસરમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ મારૂતિ યજ્ઞની પૂર્ણાહુતી બપોરે ૧૨ કલાકે કરવામાં આવેલ જેના દર્શન-આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

error: Content is protected !!