જૂનાગઢ સહિત રાજયના વિવિધ શહેરોમાં ઉલ્કા વર્ષાનો નજારો જનતા નિહાળી શકે તે માટે જાથા દ્વારા આયોજન

0

દુનિયાભરમાં અવકાશમાં લાઈરીડસ ઉલ્કા વર્ષાનો નજારો જાેવા મળશે : રાત્રીના ૧ થી પરોઢ નિહાળવાનો શ્રેષ્ઠ સમય

આગામી તા.૧૪ થી ર૦ દરમ્યાન અવકાશમાં લાઈરીડસ ઉલ્કા વર્ષાનો અદભુત નજારો જાેવા મળશે. ૧૦પ દિવસના વિરામ બાદ આકાશમાં ઉલ્કા વર્ષા થવાની છે. ત્યારે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા રાજયભરમાં ખગોળીય આનંદ જનતા લઈ શકે તે માટે ખાસ આયોજન હાથ ધરવામાં આવેલ છે. આગામી તા.રર અને ર૩ એપ્રિલ મધ્યરાત્રીથી પરોઢ સુધીના સમયગાળા દરમ્યાન જૂનાગઢ સહિત રાજયના વિવિધ શહેરોમાં ઉલ્કા વર્ષાનો નજારો નિહાળવા માટે વિશેષ આયોજન કરવામાં આવેલ છે. દુનિયાભરમાં લોકોએ જાન્યુઆરીમાં કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. ૧૦પ દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કાવર્ષાનો પ્રારંભ થનાર છે તેમાં વિશ્વમાં તા.૧૪ મી એપ્નિલ મધ્યરાત્રિથી તા. ૩૦ મી એપ્રિલ રવિવાર પરોઢ સુધી લાયરીડસ ઉલ્કાવર્ષા આકાશમાં જાેવા મળશે. વિશ્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કાવર્ષનો અદ્દભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. રાજયભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન આદર્યા છે. જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે તા.૧૪ મી શુક્રવાર મધ્યરાત્રિથી તા.૩૦મી સુધી આકાશમાં લાયરીડસ ઉલ્કાવર્ષા પડતી જાેવા મળશે. તા.રરમી રાત્રીએ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જાેવા મળશે. કલાકના ૧પ થી ૧૦૦ ઉલ્કાવર્ષા પડતી જાેવા મળશે. દિવાળીના ફટાકડાની આતશબાજીના રોમાંચક દ્રશ્યો આકાશમાં જાેવા મળશે. અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા દ્રશ્યો જાેઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જાેવા મળે છે. વધુમાં પંડયા જણાવે છે કે લાયરીડસ ઉલ્કાવર્ષા મહત્તમ ત્રણ દિવસ તા.ર૧ મી શુક્રવારથી રવિવાર પરોઢ સુધી આકાશમાં જાેવા મળશે. નરી આંખે નર્જનિ જગ્યાએથી સ્પષ્ટ રીતે જાેઈ શકાય છે. ઉલ્કાવર્ષા વર્ષ દરમ્યાન ૧૦ થી ૧ર વખત અને વધુમાં વધુ પ વખત આકાશમાં જાેવા મળે છે. આ ઉલ્કાવર્ષાઓ પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. સૌરમંડળમાં એવા પણ ધૂમકેતુઓ છે કે જે પોતાના સૂર્ય ફરતેના ભ્રમણ દરમ્યાન પૃથ્વીની ભ્રમણકક્ષાને કાપે છે. આ ધૂમકેતુઓનું સતત વિસર્જન થતું રહેતું હોય છે અને તેમાંથી વિસર્જીત થયેલ પર્દાફાશ ધૂમકેતુની દિશા જાળવી રાખે છે. આ રીતે જાેઈએ તો દરેક ધૂમકેતુ પાછળ વિસર્જીત પદાર્થોનો શેરડો છોડતો જાય છે. જયારે પૃથ્વી ઉપર આ વિસર્જીત પદાર્થોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે સાપેક્ષ વેગના કારણે આ ટુકડાઓ પ્રચંડ વેગે પૃથ્વીના વાતાવરણમાં પ્નવેશે છે. આવા સમયે તેમનો મહતમ વેગ સેકન્ડના ૩૦ કિલોમીટર જેટલાનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે અવકાશમાં જાેવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે. એડવોકેટ પંડયા વધુમાં જણાવે છે કે ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે મહત્તમ ઉલ્કા વરસાદ જાેવા મળે છે. વિદેશમાં લોકો દરિયાઈ કિનારે તથા પર્વતીય-ખડકાળ, નર્જનિ જગ્યાને પસંદ કરી ચાર-પાંચ દિવસનો પડાવ નાખે છે. ચારેય દિશામાં ખગોળરસિકોને ગોઠવી ઉલ્કાના આંકડાની નોંધ રાખવામાં આવે છે. સેકન્ડની ગણતરીમાં દિવાળીની આતશબાજી, રંગબેરંગી ફટાકડાના દ્રશ્યો અવકાશમાં જાેવા મળે છે. ઘણા લોકો ગુણવત્તાના દુરબીનની વ્યવસ્થા કરી નજારો જાેવે છે. ઉલ્કા વરસાદને નજરકેદ કરવા ૧૦×પ૦નું મેગ્નીફીકેશન ધરાવતું દૂરબીન ગોઠવી શકાય છે. જાથાએ ફાયરબોલ ફોટોગ્રાફી, ઈન્ટરનેટ મિત્રોનો સહયોગ મેળવી ડીઝીટલ વિડીયોગ્રાફી કેમેરામાં કેદ કરવા આયોજન ગોઠવ્યું છે. જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્નવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ ૪૦ ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્નવેશે છે. પૃથ્વી ઉપર દિવસ-સૂર્યપ્રકાશ દરમ્યાન પડતી ઉલ્કાઓ જાેઈ શકાતી નથી. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે. તેની રજને, ધૂળને ઓળખવા માટે લોહચુંબકનું પરીક્ષણ જરૂરી છે. લાયરીડસ ઉલ્કાવર્ષા દુનિયાના અમુક ભાગોમાં રીતસરનો વરસાદ પડશે. જાથા ઉલ્કાવર્ષાની ફોટોગ્રાફી લોકો સમક્ષ મુકશે. જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય, તેમાં રસ લઈ, બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, નજારો નિહાળવા માટે રાજયભરમાં આયોજન ગોઠવ્યું છે તેમાં રાજકોટ, અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, રાજપીપળા, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, આણંદ, નડીયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ધાનેરા, ડીસા, હિંમતનગર, ગાંધીધામ, માંડવી, અંજાર, મોરબી, પાવગઢ, ગોધરા, વિગેરે નાના-મોટા નગરોમાં બે દિવસીય તા.રર-ર૩ એપ્રિલ મધ્યરાત્રિ-પરોઢે વ્યવસ્થાની આખરી ઓપની તૈયારી આરંભી છે. લાયરીડસ ઉલ્કાવર્ષાનો નજારો તા.રરમી રાત્રીના નિહાળવાની તૈયારીમાં જાથાના અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, વિનોદ વામજા, દિનેશ હુંબલ, નર્ભયિ જાેશી, રાજુ યાદવ, નર્મળિ મેત્રા, ભોજાભાઈ ટોયટા, ભક્તિબેન રાજગોર, ભાનુબેન ગોહિલ વિગેરે અનેક સદસ્યો જાેડાયા છે. રાજયમાં ઉલ્કાવર્ષા સંબંધી વિશેષ માહિતી મોબાઈલ ઃ ૯૮રપર ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!