યાત્રાધામ દ્વારકામાં સદગુરૂદેવ શ્રીપ્રેમભિક્ષુજી મહારાજની ૫૩મી પુણ્યતિથિ મહોત્સવ ધામધુમથી ઉજવાયો

0

દ્વારકધીશ જગત મંદિરે શ્રીરામ જય રામ જય જય રામ મંત્ર વારી ધ્વજા આરોહણ કરાય

યાત્રાધામ દ્વારકા ખાતે આજરોજ ચૈત્ર-વદ ૫(પાંચમ)ને સદગુરૂદેવ શ્રી પ્રેમભિક્ષુજી મહારાજની ૫૩મી પૂણ્યતિથી મહોત્સવ ધામધુમ પૂર્વક ઉજવાયો હતો. સવારે દ્વારકાધીજીની ધ્વજાજીનું પુજન કરી દ્વારકા જગત મંદિરના શિખર ઉપર શ્રી રામ જય રામ જય જય રામ મહામંત્ર લખેલી નુતન ધ્વજાઆરોહરણ કરવામાં આવ્યુ હતું. તેમજ દ્વારકામાં ૫૫ વર્ષ ઉપરાંત પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત અખંડ હરિનામ ર્સંકિતન મંદિરે સદગુરૂદેવનું પાદુકા પુજન અભિષેક પુજન ઉત્સવ આરતી કરવામાં આવી હતી. અને ગુરૂ પ્રસાદી ભોજનું આયોજન કરાયુ હતું. સાંજે શહેરના રાજ્યમાર્ગો ઉપર થી શ્રીરામ જય રામ જય જય રામ ના મહામંત્ર સાથે ઠોગનગારા સાથે નગર ર્કિતન નિકડેલ હતી. જેમાં બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ તેમજ બહારથી પધારેલ ભાવિકોએ દર્શનો લાભ લિધો હતો.

error: Content is protected !!