ધુનડાના સંત પૂ. જેન્તીરામબાપા દુબઈમાં ૧પ દિવસના રોકાણ દરમ્યાન સત્સંગની આહલેક જગાવશે

0

ધુનડા સતપુરણધામ આશ્રમના સંત પૂ.જેન્તીરામબાપા ધર્મના પ્રચાર અને પ્રસાર અર્થે સત્સંગની આહલેક જગાવવા દુબઈની યાત્રાએ ગયેલ છે. દુબઈના આલાભાઈ અને મનુભાઈ ગઢવી મારૂતિ રેસ્ટોરન્ટવાળાના નિમંત્રણને માન આપી પૂ. જેન્તીરામબાપા અમદાવાદથી હવાઈ માર્ગે પ્લેન દ્વારા દુબઈમાં આગમન થતા ગઢવી પરિવારે તેઓને ઉમળકાભેર આવકાર્યા હતા. દુબઈ પામ જુમૈરા વિસ્તારમાં પૂ. બાપાનો ઉતારો અપાયો છે અને તેમની સાથે યાત્રામાં વિરમભાઈ ગઢવી તથા હિતેષભાઈ શીલુ જાેડાયા હતા. પૂ. જેન્તીરામબાપા ત્યાં ૧પ દિવસ જેટલું રોકાણ કરી સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરશે અને સત્સંગની આહલેક જથાવશે. અનેક સ્થળોએ પૂ. બાપાના સત્સંગનું આયોજન થઈ રહ્યું છે.

error: Content is protected !!