જિલ્લા સ્વાગત કાર્યક્રમ થકી મારા પ્રોપર્ટી કાર્ડના પ્રશ્નનું નિરાકરણ આવ્યું : જયસુખભાઈ સોનૈયાનો પ્રતિભાવ

0

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમ્યાન નાગરિકોના પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે શરૂ કરેલા સ્વાગત કાર્યક્રમને એપ્રિલ, ૨૦૨૩માં વીસ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે સ્વાગત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કલેકટર દ્વારા લોકોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખંભાળિયાના જયસુખભાઈ સોનૈયાએ જણાવ્યું કે, હું ખંભાળિયાનો રહેવાસી છું અને મેં પ્રોપર્ટી કાર્ડ કાઢી આપવા અંગે અરજી કરી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત મને પ્રોપર્ટી કાર્ડની નકલ કાઢી આપવામાં આવી છે. સ્વાગત કાર્યક્રમ થકી ખરા અર્થમાં લોકોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ આવે છે.

error: Content is protected !!