ધો.૧ર સામાન્ય પ્રવાહનું જૂનાગઢ જીલ્લાનું ૭૪.૪૮ ટકા પરિણામ

0

ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધો.૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. શિક્ષણ વિભાગ દ્વારા મુકવામાં આવેલા પરિણામમાં રાજયનું પરિણામ ૭૩.ર૭ ટકા આવેલું છે. જયારે જૂનાગઢ જીલ્લાનું પરિણામ ૭૪.૪૮ ટકા આવ્યું છે. આ સાથે જ સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપવામાં આવી રહ્યા છે.
જૂનાગઢ જીલ્લાના કુલ ૯.૦૪૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ધો.૧ર સામાન્ય પ્રવાહનું પરિણામ ૭૪.૪૮ ટકા આવ્યું છે. જૂનાગઢ જીલ્લામાં એ-૧ ગ્રેડ મેળવનારા ૪૭ વિદ્યાર્થી, એ-ર ગ્રેડ મેળવનારા પ૪૯, બી-૧ ૧૪૦૦, બી-ર ર૦૮૪, સી-૧ રપ૭૦, સી-ર ર૧૦૬, ડી ર૯૮ વિદ્યાર્થીઓ રહેલા છે. તમામ વિદ્યાર્થીઓને અભિનંદન સાથે શુભકામના પાઠવવામાં આવી રહી છે.

error: Content is protected !!