ખંભાળિયા રાજપૂત સમાજનું ગૌરવ : કુ. બંસીબા પરમાર

0

ખંભાળિયામાં રહેતા જયેન્દ્રસિંહ અનુપસિંહ પરમારની ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી સુપુત્રી કુ. બંસીબા પરમારે તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ ૧૨ ની પરીક્ષામાં અહીંની કે.આર. ગોકાણી સ્કૂલમાં અભ્યાસ કરી, ૯૫.૫૭ પર્સન્ટાઇલ રેન્ક સાથે શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ સિદ્ધિથી તેણે કે.આર. ગોકાણી શાળા સાથે રાજપૂત સમાજનું ગૌરવ પણ વધાર્યું છે. બંસીબા પરમાર અહીંના રાજપૂત આગેવાન અને શહેર ભાજપ મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમારની ભત્રીજી થાય છે.

error: Content is protected !!