જૂનાગઢના ઐતિહાસીક ઉપરકોટના લોકાર્પણની ગણાતી ઘડીઓ

0

એકટીંગ કમિટીની બેઠકમાં ફાઈનલ રીપોર્ટ રજુ કરાયો અને મુખ્યમંત્રીના હસ્તે થશે લોકાર્પણ : ટુંક સમયમાં કાર્યક્રમ જાહેર થશે

જૂનાગઢ શહેરની શાન સમા ઐતિહાસીક ઉપરકોટના રિનોવેશનની કામગીરી હવે પુર્ણ થઈ ચુકી છે અને આગામી દિવસોમાં જ તેનું લોકાર્પણ કરવામાં આવશે તેવા નિર્દેશો મળી રહ્યા છે. ગુજરાત સરકાર અને પ્રવાસન નિગમ દ્વારા ઉપરકોટના રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંદાજીત ૮૦ કરોડ રૂપીયાના ખર્ચે આ ઐતિહાસીક વિરાસતને ભવ્ય જાજરમાનરૂપ આપવામાં આવેલ છે. અહીં આવનારા પ્રવાસીઓને ફરી-ફરીને જૂનાગઢ શહેરમાં આવવાનું મન થાય તેવો ભવ્ય ઉપરકોટનો આ ઐતિહાસીક કિલ્લો છે. રિનોવેશન થયા બાદ તેની ભવ્યતામાં ખુબ જ વધારો થયો છે ત્યારે આધારભુત સુત્રો દ્વારા પ્રાપ્ત અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આગામી ર૦મી જુનના દિવસે તેમનો લોકાર્પણ સમારોહ યોજાઈ તેવી તૈયારી હાથ ધરવામાં આવી રહી છે.

error: Content is protected !!