પ્રભાસ-પાટણ ગીતા મંદિર પાસેની એક વાડીમાં દિપડો ત્રાટકયો : એક વાછડીનું કર્યું મારણ અને એક વાછડાને કરી ઈજા

0

સોમનાથ પ્રભાસ-પાટણના ગીતા મંદિર પાસે આવેલ રાકેશ વરજાંગ સોલંકીની વાડીએ ગત રાત્રે ૩ વાગ્યે અચાનક દિપડો આવી જતા વાડીમાં રહેલ એક વાછડીનું મારણ કરી અને એક વાછડાને તીક્ષ્ણ નહોરોથી ઈજાઓ પહોંચાડી દિપડો નાસી ગયેલ જે અંગેની ટેલીફોનિક જાણવેરાવળ રેન્જના આરએફઓ કે.ડી. પંપાણીયાને કરતા તેઓએ સ્ટાફને ઘટના સ્થળે મોકલી નીયમઅનુસાર પંચનામું અને ખાતાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!