રવિવારે જૂનાગઢમાં જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા

0

૩૧ બિલ્ડીંગોમાં ૭૭૭૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

જૂનાગઢના જીલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેરે જણાવ્યું હતું કે, જીલ્લા કલેકટર અનિલ રાણાવાસીયાના માર્ગદર્શન હેઠળ આગામી તા.૧૧ને રવિવારના રોજ જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા યોજાનાર છે. જેમાં ૩૧ બિલ્ડીંગોમાં રપ૯ બ્લોકમાં સીસીટીવી કેમેરાની નજર હેઠળ ૭૭૭૦ વિદ્યાર્થીઓ સવારે ૧૧ થી બપોરે ૧ઃ૩૦ દરમ્યાન પરીક્ષા આપનાર છ.ે આ પરીક્ષામાં ૪૧૦ જેટલા કર્મચારી ફરજ બજાવશે. આ પરીક્ષાની મોટાભાગની જવાબદારી જેમના શિરે રહેલી છે બિલ્ડીંગથી માંડી પરીક્ષા શરૂ થાય ત્યારથી લઈ પુર્ણ થાય અને પેપર આવે અને પરત થાય ત્યાં સુધીની તમામ તૈયારીઓને જીલ્લા શિક્ષણાધિકારી ભાવસિંહ વાઢેર અને તેમની કચેરીના સ્ટાફ દ્વારા પુર્ણ કરવામાં આવેલ છે.

error: Content is protected !!