માંગરોળના મકતુપુર ગામે અગાસીમાં બાજરો સુકવી રહેલા યુવાનનું વીજ કરંટ લાગતા મૃત્યું

0

માંગરોળ તાલુકાના મકતુપુર ગામે અગાસીમાં બાજરો સુકવી રહેલા યુવાનને ૧૧ કેવી લાઈનમાંથી વીજશોક લાગતા ઘટના સ્થળે જ તેનું કરૂણ મોત નિપજયું હતું. મકતુપુર ગામે પી.ડી. શાહ હાઈસ્કૂલ પાછળ નવા પ્લોટ વિસ્તારમાં ગઈકાલે બપોરે અલ્પેશ માલદેભાઈ સોલંકી(ઉ.વ.ર૭) ઘરની અગાસીમાં બાજરો સુકવતો હતો એ દરમ્યાન ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી ભયંકર શોક લાગતા તે ભડથું થઈ ગયો હતો. મૃતક યુવાન માંગરોળમાં લાકડાનો ધંધો કરતો હતો અને બે વર્ષ પહેલા તેના લગ્ન થયા હોવાનું જાણવા મળેલ છે. હોસ્પિટલે એકત્રિત ગ્રામજનોએ લોકોની સલામતીને ધ્યાને લઈ ગામના રહેણાંક વિસ્તાર ઉપરથી ૧૧ કેવીની લાઈનને દુર કરવા અને રજુઆતો કરવામાં આવી હોવાનું જણાવીબનાવ અંગે પીજીવીસીએલની બેદરકારી કારણભુત હોવાનો આક્ષેપ કર્યો હતો. યુવાનના અકાળે મોતથી પરિવાર ઉપર આભ તુટી પડયું હતું.

error: Content is protected !!