જૂનાગઢમાંથી સગીર બાળાને ભગાડી ગયાની ફરિયાદ

0

જૂનાગઢના માલીવાડા રોડ વિસ્તારમાં રહેતા એક પરિવારની સગીર વયની દિકરીને જઈ રાઠોડ રહે.જાેષીપરા વાળો લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિસાવદર તાલુકાના સરસઈ ગામે ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મૃત્યું
વિસાવદર તાલુકાના સરસઈ ગામે રહેતા અલ્પેશ ધનસુખભાઈ દાણીધારીયા(ઉ.વ.૧૮)ને મામાદેવનો ઓતાર આવતો હોય અને મામાદેવ મંદિર બનાવી દેશે તેવા સપના આવતા હોય અને આજ દિવસ સુધી મંદિર નહી બનતા તેને લાગી આવતા પોતાની મેળે દવા પી જતા તેને સારવારમાં ખસેડવામાં આવેલ અને જયાં સારવાર દરમ્યાન તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

error: Content is protected !!