ભવનાથ ખાતે આવેલા શ્રી પંચદશનામ જુના અખાડા ખાતે ગુરૂપુર્ણીમાની ભાવપુર્વક ઉજવણી થશે : ગિરનાર પીઠાધિશ્વર શ્રીશ્રી ૧૦૦૮ જયશ્રીકાનંદગીરીજી મહારાજ

0

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી વિસ્તારમાં શ્રી પંચદશનામ જુના અખાડા ખાતે ગુરૂપુર્ણીમા મહોત્સવની ભાવભેર અને ભકિતભાવ પુર્વક ઉજવણી કરવામાં આવશે અને વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. ગિરનાર પીઠાધિશ્વર શ્રીશ્રી ૧૦૦૮ જયશ્રીકાનંદગીરીજી મહારાજના માર્ગદર્શન હેઠળ દર વર્ષે વિવિધ ધાર્મિક કાર્યો ગિરનાર ક્ષેત્રમાં થતા રહ્યા છે. ગુરૂપુર્ણીમાની પણ ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આગામી તા.૩-૭-ર૦ર૩ને સોમવારના રોજ ગુરૂપુર્ણીમાની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવશે. શ્રી પંચદશનામ જુના અખાડા ખાતે ગુરૂપુર્ણીમાના દિવસે સવારે ૯ઃ૩૦ થી ૧૦ઃ૩૦ દરમ્યાન દતચરણ પાદુકા પૂજન તેમજ ૧૧ થી ૧રઃ૩૦ દરમ્યાન ભોજન-પ્રસાદ ભંડારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ પવિત્ર અવસરે ભાવિકોને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે તેમ એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!