ભવનાથ તળેટીમાં ખોડીયાર ઘુનામાં યુવાનનો મૃતદેહ મળ્યો

0

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તળેટી વિસ્તારમાં પાદનાકા પુલ નજીક આવેલા ખોડીયાર ઘુનામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આજે સવારે આ યુવાનનો મૃતદેહ તરતો હોય જે અંગેની જાણ થતા જ ઈમરજન્સી ૧૦૮નો સ્ટાફ તથા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચેલ અને ૧૦૮ અને ફાયર વિભાગની ટીમે યુવાનના મૃતદેહને બહાર કાઢયો હતો. ભવનાથ પોલીસને પણ આ બનાવ અંગેની જાણ થતા બનાવના સ્થળે પહોંચી અને તપાસની કામગીરી હાથ ધરી છે.

error: Content is protected !!