નરેશભાઈ પટેલનો જન્મદિવસ બન્યો સેવાનો મહોત્સવ : ૫૮માં જન્મદિવસે દેશભરમાં ૭૦ જગ્યાએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયા

0

હજારો રક્તદાતાઓ રક્તદાન કરીને સેવાયજ્ઞમાં જાેડાયા : જન્મદિવસને અવિસ્મરણીય અને યાદગાર બનાવનાર રક્તદાતાઓ અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કરતા નરેશભાઈ પટેલ : અનેક સ્થળે વૃક્ષારોપણ, વૃદ્ધા આશ્રમમાં ભોજન, દર્દીઓને ફ્રુટ વિતરણ, ચોપડા વિતરણ, પક્ષીઓના માળાનું વિતરણ, રાશનકીટ વિતરણ સહિતના સેવાકાર્યો કરવામાં આવ્યા

વર્ષોથી પોતાના જન્મદિવસને સમાજ સેવામાં સમર્પિત કરીને જરૂરિયાતમંદોને ઉપયોગી બનવાની નેમ સાથે ઉજવણી કરનાર એવા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના પ્રણેતા અને જેમની ૨૨૦થી વધુ વખત રક્તતુલા થઈ છે તેવા નરેશભાઈ પટેલનો જન્મદિવસ અવિસ્મરણીય અને યાદગાર બની રહ્યો. ૧૧ જુલાઈને મંગળવારના રોજ પોતાના ૫૮ વર્ષ પૂર્ણ કરીને ૫૯મા વર્ષમાં મંગળ પ્રવેશ કરનાર નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રાજ્યભરમાં અને રાજ્ય બહાર ઠેર ઠેર બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, વૃદ્ધોને ભોજન, દર્દીઓને ફ્રુટ વિતરણ, ચોપડા વિતરણ, પક્ષીઓના માળાનું વિતરણ, રાશનકીટ વિતરણ સહિતના સેવાકાર્યો કરીને ઉજવવામાં આવ્યો હતો. પોતાના જન્મદિવસે સેવાકાર્યોની સુવાસ ફેલાવવા બદલ નરેશભાઈ પટેલેઝુમ મિટીંગથી તમામ આયોજકો સાથે જાેડાઈને તમામ રક્તદાતાઓ અને શ્રી ખોડલધામ સમિતિઓના કન્વીનરો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. ૧૧ જુલાઈ ને મંગળવારના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્‌જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા રાજકોટ શહેર અને જિલ્લા ઉપરાંત, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ભરૂચ, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, પોરબંદર, મોરબી, વલસાડ, નવસારી, ખેડા, નર્મદા સહિતના જિલ્લામાં પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. સાથે જ પ્રથમ વખત રાજ્ય બહાર મધ્યપ્રદેશના ઝરખેડામાં અને ચેન્નાઈમાં પણ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાંહજારો રક્તદાતાઓએ રક્તદાન કરતાં ૭૫૦૦થી વધુ યુનિટ બ્લડ એકત્ર થયું હતું. તમામ રક્ત વિવિધ બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું હતું. સવારથી જ મોટી સંખ્યામાં રક્તદાતાઓ રાષ્ટ્રસેવાનાઆ ભગીરથ કાર્યમાં સહભાગી થવા માટે ઉમટી પડ્યા હતા અને રક્તદાન કરીને નરેશભાઈ પટેલના માધ્યમથી જરૂરિતામંદ દર્દીઓ માટે રક્તદાન કર્યું હતું. અનેક જગ્યાએ વૃક્ષારોપણ, વૃદ્ધાશ્રમમાં ભોજન, પક્ષીના માળાનું વિતરણ, ચોપડા વિતરણ સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે અનેક સ્થળે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રકૃતિની જાળવણીના શુભ આશય સાથે હજારો વૃક્ષોનું વાવેતર કરી તેના યોગ્ય ઉછેર માટેનો સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. વૃદ્ધાઆશ્રમમાંભોજન, દર્દીઓનેફ્રુટવિતરણ, ચોપડા વિતરણ, પક્ષીઓના માળાનું વિતરણ, રાશનકીટ વિતરણ સહિતના સેવાકાર્યો કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ખોડલધામના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!