અધિક શ્રાવણ માસના પવિત્ર મંગળવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને કેળાનો દિવ્ય શણગાર

0

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અધિકમાસના પવિત્ર મંગળવારે તા.૨૫-૭-૨૦૨૩ના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય વાઘા તેમજ કેળાનો દિવ્ય શણગાર કરવામાં આવેલ અને સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા ૭ કલાકે શણગાર આરતી પ.પૂ. જગતસ્વામી દ્વારા કરવામાં આવેલ હતી. અધિક શ્રાવણ માસ દરમ્યાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવેલ તથા તેમજ મંદિરના પટાંગણમાં મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. મંદિરમાં શ્રી સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવેલ હતું. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

error: Content is protected !!