માંગરોળના દાનાતળ કોઝવે ડેમેજ થયો

0

ભારે વરસાદને પગલે પાણીના સતત પ્રવાહ વચ્ચે માંગરોળ-માળીયાને જાેડતો દાનાતળ કોઝવે ડેમેજ થયો હતો. અનેક ગામડાના લોકોની અવરજવરના મુખ્ય રસ્તે ગાબડું પડતાં છેલ્લા પાંચ, છ દિવસથી રસ્તો બંધ હતો. સમારકામની તાકીદે જરૂરીયાતની માંગ ધ્યાને લઈ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠીયાએ વરસાદ રોકાતા, પાણીનો પ્રવાહ ઓછો થતા આ કોઝવેનું સમારકામ હાથ ધરવા આરએમડી વિભાગને સુચના આપી હતી. જે અંતર્ગત ગઈકાલે રિપેરિંગની કામગીરી દરમ્યાન સતત ચાર કલાક સ્થળ ઉપર હાજર રહી લોકોને પડી રહેલી મુશ્કેલીઓનું નિરાકરણ લાવતા રાહત ફેલાઈ હતી.

error: Content is protected !!