જૂનાગઢ વાડલા ફાટક નજીક એસટીએ હડફેટે લઈ ઈજા પહોંચાડયાના બનાવમાં આધેડનું સારવાર દરમ્યાન મૃત્યું

0

જૂનાગઢના વાડલા ફાટક નજીક ગત તા.રર-૭-ર૦ર૩ કલાક ૧પઃ૦૦ થી ૧૬ઃ૦૦ કલાક દરમ્યાન એસટી બસે હડફેટે લીધાનો બનાવ બનવા પામેલ અને જેમાં ઈજાગ્રસ્ત બનેલા રમેશભાઈ ચંદુભાઈ ચાવડાને સારવાર માટે ખસેડવામાં આવેલ હતા અને જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર ધવલભાઈ રમેશભાઈ ચાવડા(ઉ.વ.ર૩) રહે.વિશ્વકર્મા સોસાયટી વાળાએ એસટી બસ નંબર જીજે-૧૮-ઝેડ-૯૪૪૮ના ચાલક વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ચાલકે પોતાની એસટી બસ પુરઝડપે ચલાવી અને ફરિયાદીના પિતા રમેશભાઈ ચાવડાને હડફેટે લઈ તેના પગ ઉપર એસટી બસના ટાયર ફેરવી દેતા તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી અને ગઈકાલે સારવાર દરમ્યાન તેઓનું મૃત્યું થતા આરોપી વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા વંથલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!