ગીર સોમનાથના ઉના ખાતે જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી થશે

0

રાષ્ટ્રીય પર્વની ઉજવણીની તૈયારીઓને લઈ જિલ્લા કલેકટરએ અધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું

ગીર-સોમનાથના ઉના ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. જેને લઈ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગના સંકલનથી વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લાકક્ષાનાં ૭૭ માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકી સહિત સાંસદ અને ધારાસભ્ય તેમજ અગ્રણીઓ ઉપસ્થિતિ રહેશે. ઉના-દેલવાડા રોડ ખાતે શાહ એચ.ડી. હાઈસ્કૂલના મેદાનમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. જેને લઈ કલેકટર એચ.કે.વઢવાણિયાએ યોજેલ બેઠકમાં જિલ્લાકક્ષાનો સ્વતંત્ર પર્વની ઉજવણીનો કાર્યક્રમ સુનિયોજીત રીતે યોજાય તે અંગે સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા તેમજ સાફ-સફાઈ, વૃક્ષારોપણ, વીજ પુરવઠો, પાણી, સહિતની જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે નિર્દેશ આપ્યા હતા. અધિક કલેકટર બી.વી. લિંબાસિયાએ જ્યાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે ત્યાં મેદાનની સ્થિતિ, મંચ તૈયાર કરવો, મહેમાનોને આનુસાંગીક વ્યવસ્થા સહિત અન્ય જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને સૂચના આપી હતી. આ બેઠકમાં કાર્યપાલક ઈજનેર એસ.ડી.મકવાણા, એએસપી જીતેન્દ્ર અગ્રવાલ, પુરવઠા અધિકારી રાહુલ ગમારા, શિક્ષણ અધિકારી એચ.કે.વાજા, વાહન વ્યવહાર અધિકારી વાય.એચ.સરવૈયા, પ્રાંત અધિકારી કે.વી.બાટી, મામલતદાર, ટીડીઓ અને પીજીવીસીએલ, વનવિભાગ, આરોગ્ય સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!