અધિક શ્રાવણ માસ પવિત્ર મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર

0

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અધિકમાસ પવિત્ર મંગળવારે તા.૮-૮-૨૦૨૩ના રોજ શ્રીકષ્ટભંજનદેવને વાઘાનો દિવ્ય શણગાર એવં પોપકોર્નનો શણગાર કરી સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા ૭ કલાકે શણગાર આરતી પ.પૂ. કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ હતી. અધિક શ્રાવણ માસ દરમ્યાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવેલ. તથા તેમજ મંગળવાર નિમિત્તે સાંજે મંદિરમાં શ્રી સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવેલ હતું. મંદિરના પટાંગણમાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

error: Content is protected !!