શ્રાવણ માસના પવિત્ર શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને ફ્રુટના વાઘા, ફ્રુટનો દિવ્ય શણગાર અને ફ્રુટનો અન્નકૂટ

0

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણમાસના પવિત્ર શનિવારે તા.૧૯-૦૮-૨૦૨૩ના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય ફ્રુટના વાઘા તેમજ ફ્રુટનો દિવ્ય શણગાર કરવામાં આવેલ અને સવારે ૦૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સવારે ૦૭ઃ૦૦ કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ. તેમજ બપોરે ૧૧ઃ૧૫ કલાકે દાદાને કેરી, સફરજન, દ્રાક્ષ, મોસંબી વિગેરે ફળોનો અન્નકૂટ ધરવામાં આવેલ તથા અન્નકૂટ આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. શ્રાવણ માસ દરમ્યાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ. મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શન તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

error: Content is protected !!