શ્રાવણ માસ-પવિત્ર મંગળવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને શાકભાજીનો દિવ્ય શણગાર

0

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસ પવિત્ર મંગળવારે તા.૨૨-૦૮-૨૦૨૩ના રોજ શ્રીકષ્ટભંજનદેવને વાઘાનો દિવ્ય શણગાર એવમ્‌ મરચા,સૂરણ, આદું,દુધી,તુરિયા,મેંથી, ટામેટા,ફુલાવર,કોળું,કાચા કેળા,ગાજર વિગેરે શાકભાજીનો ભવ્ય શણગાર કરવામાં આવેલ એવં સવારે ૦૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા ૭ઃ૦૦ કલાકે શણગાર આરતી પ.પૂ. કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

error: Content is protected !!