ખંભાળિયાના બેહ ગામે ગાડા ઉપર જીવંત વીજ વાયર પડતા બે બળદના મૃત્યું : ખેડૂતનો ચમત્કારિક બચાવ

0

ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા નથુભાઈ કમાભાઈ ચાવડા નામના એક ખેડૂત આધેડ ગઈકાલે મંગળવારે બળદગાડા મારફતે પોતાના ખેતરે જઈ રહ્યા હતા. તે દરમ્યાન રસ્તામાં જીવંત વીજ વાયર તેમના ગાડા ઉપર પડતા બંને બળદના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યું નીપજ્યા હતા. જાેકે નસીબ જાેગે ગાડા ઉપર સવાર ખેડૂતનો ચમત્કારિક બચાવ થયો હતો. આ બનાવથી ખેડૂત પરિવારમાં વિજ તંત્રની નબળી કામગીરી સામે રોષની લાગણી જાેવા મળી હતી.

error: Content is protected !!