બીલખાથી સીએચસીમાં ફરજ બજાવતા ડો.કાનાણીનો સેવા સમય પુર્ણ થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો

0

બીલખામાં આવેલ સીએચસીમાં છેલ્લા ૪ વર્ષથી ફરજ બજાવતા ડો.કાનાણી (એમ.બી.બી.એસ)નો સેવાનો સમય પુર્ણ થતા ગ્રામજનો દ્વારા ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ડો.કાનાણીએ ખુબ જ સુંદર સેવા આપી લોકચાહના મેળવી હતી. એમાં પણ ખાસ કરીને કોરોના કાળ દરમ્યાન ડો.કાનાણીએ અનેક દર્દીઓને સાજા કર્યા હતા. આમ, એમની માનવતા પુર્ણ સેવાના પરિણામે બીલખા ગામના આગેવાનો દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જીલ્લા પંચાયત સભ્ય અનકભાઈ ભોજક, લોહાણા સમાજના પ્રમુખ હિતેષભાઈ કટારીયા, ઉપસરપંચ સોયેબભાઈ ચોટલીયા, વેપારી આગેવાન ભરતભાઈ વસાણી, ભરતભાઈ વાળા, સામાજીક કાર્યકર કિશનભાઈ રીબડીયા, શૈલેષભાઈ માંડાણી, પંચાયતના હેડ કલાક અવિનાશભાઈ ગૌસ્વામી, અમીનભાઈ ગણાત્રા, પંચાયતના સદસ્ય આશિષભાઈ ઘીયા, છત્રપાલભાઈ ધાંધલ, વકીલ કુશલભાઈ ટીંબડીયા, યાસીફબાપુ ગોંડલીયા, ગોરધનબાપુ કાપડી સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

error: Content is protected !!