એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને લઘુમતી સમાજ પોતાના હક અધિકાર અને સરકારની ભેદભાવ ભરી નીતિ સામે બોલાવશે મહાપંચાયત : અમિત ચાવડા

0

૮ર ટકા વસ્તીને દર વર્ષ બોર્ડ નિગમમાં ૧૬૬ કરોડની ફાળવણી અને ૧૮ ટકા વસ્તીને ૫૦૦ કરોડની ફાળવણી, આવો ભેદભાવ કેમ ? : કોંગ્રેસની સટાસટી

સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે યોજેલ સ્વાભિમાન ધરણા જે બિન રાજકિય આયોજન ઓજસ-ઓબીસી જન અધિકાર સમિતિ દ્વારા યોજવામાં આવેલ હતો. જેમાં ઓબીસી સમાજના તમામ સમાજિક અને ધાર્મિક આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં મુખ્યત્વે આંદોલનનો પાયો નાખનાર અમિતભાઈ ચાવડા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, અર્જુનભાઈ મોઢવાડિયા, સેવાદળના ચેરમેન લાલજીભાઈ દેસાઈ સાથે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યઓ, પૂર્વ ધારાસભ્યએ, તમામ નેતાગણ અને હજારો લોકો સમગ્ર ગુજરાતમાંથી હાજર રહ્યા હતા. સ્વાભિમાન ધરણામા અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ૮ર ટકા વસ્તી ધરાવતા OBC, ST, SC, Minority સમાજને પોતાના હક અધિકાર માટે ધરણા કરવા પડે એજ બતાવે છે કે ડબલ એન્જીન સરકારમાં ખુબ જ અન્યાય થઈ રહ્યો છે. અમે સરકારમાં બેઠેલા ઓ.બી.સી. સમાજના નેતાઓને પણ આ ધરણામાં અવવાનું આમંત્રણ આપેલું પણ કોઈ જ આવ્યા નહિ. સમાજની અવગણના કરીને તેઓ તેમના પક્ષના આદેશ મુજબ હાજર રહ્યા નહિ. અમે સરકારના નેતાઓ અને મંત્રીઓને કેહવા માંગીએ છીએ કે જે સમાજે તમને આ સ્થાન ઉપર બેસાડ્યા છે, જે સમાજના લિધે તમે ચૂંટાયા છો એ સમાજને જ્યારે તમારી જરૂરિયાત હોઈ ત્યારે તમારે પણ સમાજ માટેની લડાઈમા મંચ ઉપર આવવું જાેઈએ. ડબલ એન્જીનની સરકારમાં ગુજરાતના ઓ.બી.સી. સમાજના ગરીબોને ડબલ અન્યાય થઈ રહ્યો છે. એક તો રાજકિય રીતે અનામત નાબુદ કરીને આ સમાજને ખતમ કરવાનું કામ થઈ રહ્યું છે અને બીજી બાજુ તેના માટે પુરતું બજેટ નહી ફાળવીને સમાજને ડબલ અન્યાય કરવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં અનામત નાબુદ કરીને આ અન્યાયી સરકાર એક સંદેશો આપવા માંગતી હતી. રાજકિય રીતે અનામત ખતમ કરીને અને પરીક્ષણ કરીને સરકાર જાેવા માગતી હતી કે આવનારા દિવસોમાં આ અનામત શિક્ષણ અને નોકરીઓમાંથી ખતમ કરે તો પ્રતિક્રિયા કેવી આવે છે પણ આ બિનરાજકિય ઓબીસી સમિતિને અભિનંદન કે આપણા સૌની પહેલથી આ લડાઈ શરૂ થઈને સરકારે જસ્ટીસ ઝવેરીની આગેવાનીમાં એક સમર્પિત આયોગ બનાવવું પડ્યું, જ્યાં ઓબીસી સમાજે પોતાની તમામ માંગણીઓ રજુ કરી. આવા સમયમાં જયારે ૭૧૨૦ ગ્રામ પંચાયતો, ૭૫ નગરપાલિકા, ૨ જિલ્લા પંચાયત, ૨૦ તાલુકા પંચાયતની ચૂંટણી થઈ શકી નથી અને ત્યાં વહીવટદારોનું શાસન ચાલે છે ત્યારે સૌના વતી અમે આ ચાર માંગો સરકાર સમક્ષ મુકવા માંગીએ છીએ. જેમાં ૧. જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે. ૨. સરકાર ઝવેરી આયોગનો રીપોર્ટ પ્રસિદ્ધ કરે અને તમામ સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજને ૨૭ ટકા અનામત આપવામાં આવે. ૩. રાજ્ય સરકારના બજેટમાં ઓબીસી સમાજ માટે ૨૭ ટકા રકમની અલગથી ફાળવણી કરવામાં આવે અને એસ.ટી. એસ.સી. સબપ્લાનની જેમ ઓબીસી સબપ્લાન કમિટીઓ દરેક સ્તરે બનાવવામાં આવે. ૪. સહકારી સંસ્થાઓમાં એસ.ટી, એસ.સી., ઓબીસી, લઘુમતી સમાજ માટે અનામત લાગુ કરવામાં આવે. સામાજિક ન્યાય અધિકારિતા અંતર્ગર્ત સરકારે બનવેલા ૯ નિગમોમાંથી ૮ નિગમોમાં SC ST લઘુમતી સમાજના ઉત્કર્ષ માટે પ્રતિવર્ષ ૧૬૬ કરોડ ફાળવણી કરવામાં આવે છે જ્યારે ૧૮ ટકા વસ્તિ જે બિનઅનામત વર્ગ માટે બનેલ નિગમમાં ૫૦૦ કરોડ ફાળવણી કરવામાં આવે છે. આ હળહળતો ભેદભાવ અને અન્યાય છે. જેમ બિન અનામતના આંદોલન સમયે સૌ સમાજ ભેગા થઈને લડત લડ્યા હતા એ જ રીતે આજે ગરીબોની લડાઇ માટે સૌ સમાજને અપિલ છે કે આવો સૌ ભેગા થઈને આ લડત લડીએ. આવનારા સમયમાં શિક્ષણ, નોકરીઓ, અનામત, બજેટની ફાળવણી અને રાજકિય અનામતના સંદર્ભે એસ.સી, એસટી, ઓ.બી.સી અને લઘુમતી સમાજ પોતાના હક અધિકાર અને સરકારની ભેદભાવ ભરી નીતિ સામે મહાપંચાયત બોલાવશે તેમ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું.

error: Content is protected !!