પતંગ પકડવા ગયેલા બાળકને વીજ કરંટ લાગતા કરૂણ મૃત્યું : સલાયાનો બનાવ

0

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે જીન વિસ્તારમાં રહેતા અને વહાણવટીના વ્યવસાય સાથે સંકળાયેલા ઈમરાનભાઈ હારૂનભાઈ મોગલ નામના મુસ્લિમ ભડાલા યુવાનનો ૭ વર્ષનો પુત્ર જમીલએ રવિવારે તેના ઘરના રવેશમાં પતંગ પકડવા માટે લોખંડનો સળિયા લંબાવતા આ સળીયો નજીકના વીજપોલ ઉપરના તારને અડકી ગયો હતો. જેના કારણે જમીલને જાેરદાર વિજ કરંટ લાગતા તેને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં અહીંની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યું નીપજ્યું હતું. આ બનાવની જાણ જમીલના પિતા ઈમરાનભાઈ મોગલે સલાયા મરીન પોલીસને કરી છે. માસુમ બાળકના અપમૃત્યુના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

error: Content is protected !!