મેંદરડા : પૂજય ઈન્દ્રભારતી મહારાજ વિરૂધ્ધ ટીપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર અપાયું

0

મેંદરડા તાલુકાનાં પોલીસ સ્ટેશન હેઠળ મહંત જીતેન્દ્રભારતીજી અને તેમના સેવકો દ્વારા તેમના દાદા ગુરૂ ઈન્દ્રભારતીજી મહારાજ વિરૂધ્ધ સોશ્યલ મીડિયાના માધ્યમથી અભદ્ર ટીકા-ટીપ્પણીઓ કરનાર પ્રકાશ પીઠડિયા નામના શખ્સ વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી થવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાજેતરમાં સાળંગપુરમાં હનુમાનજીની ભીંત ચિત્ર સંબંધે સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે વિવાદ હેઠળ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રકાશ પીઠડિયા નામના શખ્સ દ્વારા અમોના દાદા ગુરૂ ઈન્દ્રભારતીજી બાપુની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે અને આદર્શ વ્યકિતત્વ ગરીમાને લાંછન લગાડે તે પ્રમાણેના ઇરાદાપૂર્વક બદનક્ષીકારક ઉચ્ચારણો કરેલા, તેનાથી અમારી ધાર્મિક લાગણી ઠેસ પહોંચેલ છે, જે વિષય અંતર્ગત મેંદરડા તાલુકાના પોલીસ સ્ટેશન હેઠળ આ આરોપીએ ગુન્હાહિત કૃત્ય કરેલ હોય તેમની સામે કાયદેસરની થવા માટે આવેદનપત્ર આપવામાં આવેલ હતું.

error: Content is protected !!