‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ બન્યું ‘જન આંદોલન’ – સાંસદ પૂનમબેન માડમે દ્વારકા ખાતે સાફસફાઈ કરી શ્રમદાન કર્યું

0

પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણીના અવસરે દેશમાં કચરા મુક્ત ભારત થીમ પર ચાલી રહેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન સાથે સ્વચ્છતાના પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગઈકાલે સમગ્ર દેશમાં “એક તારીખ, એક કલાક” મહાશ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા જગત મંદિર ખાતે સાંસદ શ્રી પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં મહશ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. સાંસદ શ્રી પૂનમબેન માડમે દ્વારકા ખાતે જગતમંદિરના પટાંગણમાં તેમજ મંદિરની આજુબાજુના વિસ્તારમાં સાફ સફાઈ કરી શ્રમદાન કર્યું હતું. જેમાં અગ્રણીશ્રીઓ, હોદેદારો તેમજ નાગરિકો સહભાગી થયા હતા.

error: Content is protected !!