સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સફાઈ અભિયાન યોજાયું

0

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન મુજબ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સ્ટેટ કોર્ડીનેટર કૌશલભાઈ દવેનાં નેતૃત્વમાં તથા યુવા બોર્ડનાં ઝોન સંયોજક બ્રિજરાજસિંહ ગોહિલ તથા જિલ્લા સંયોજક હિતેશભાઈ ઓઝાના માર્ગદર્શનમાં શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ વિધાનસભા તેમજ તાલાલા વિધાનસભાના સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજકો દ્વારા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વીર હમીરજી ગોહિલ તેમજ વેગડા ભીલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી દરિયા કિનારા ઉપર સ્વચ્છતા માટે શ્રમદાન કરી પૂજ્ય બાપુને સ્વચ્છાંજલિ આપવામાં આવી હતી.

error: Content is protected !!