ખંભાળિયાના પછાત વિસ્તારની મુલાકાત લેતા ભાજપના આગેવાનો

0

ખંભાળિયા શહેરમાં સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે હાથ ધરવામાં આવેલા દલિત વસ્તી સંપર્ક અભિયાન અંતર્ગત અહીંના શક્તિનગર વિસ્તારમાં આવેલા શીરુ તળાવ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારોએ ખાસ મુલાકાત લીધી હતી. અહીં રહેતા લોકોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ જિલ્લા અનુસૂચિત જાતિના મોરચાના કાર્યકરોએ આ વિસ્તારની લીધેલી મુલાકાતમાં અનુસૂચિત સમાજના ૩૫ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળેલા લાભોથી લોકોએ સંતોષની લાગણી વ્યક્ત કરી અને અહીં આવેલા આગેવાનોનું ફુલહાર વડે સન્માન કર્યું હતું અને પાર્ટીની આ
સેવા પ્રવૃત્તિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

error: Content is protected !!