જૂનાગઢમાં રૂા.૯૪,પ૭પની વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ

0

જૂનાગઢમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે. આ અંગે બ્રિજભુષણ અરવિંદભાઈ કણસાગરા(ઉ.વ.૩ર) રહે.ઝાંઝરડા રોડ વાળાએ સફીભાઈ રહે.બીગ એન્ટરપ્રાઈસીસ, રર-પ-૭પ૭/પ૧, શીવરામ પલ્લી રેલ્વે સ્ટેશન, જીએસટી ઓફીસની બાજુમાં, અરમ ગ્રહ, તેલંગાણા વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ ઝાંઝરડા ચોકડી પાસે આવેલી ગીરવેદા એલએલપી નામની કંપનીમાંથી મધ પ૦૦ ગ્રામની બોટલો કુલ ૬૦૦ નંગ જેની કિંમત રૂા.૯૪,પ૭પની ખરીદ કરી ફરિયાદીને વિશ્વાસમાં લઈ પ્રોડકટ કુરીયર કરાવી આજ દિવસ સુધી પ્રોડકટના પૈસા નહી આપી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!