જૂનાગઢ : પ૦,૦૦૦ ઉછીના આપ કહી યુવાન ઉપર ચાર શખ્સોનો હુમલો

0
જૂનાગઢના એક યુવાનને મામાજી સસરા સહિત ૪ ઈસમોએ રૂપીયા પ૦,૦૦૦ ઉછીના આપ તેમ કહીને હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. આ બનાવની વિગતો એવી છે કે, શહેરના રામદેવપરા વિસ્તારમાં રહેતા વેપારી અંજુમ ઉર્ફે સમીર તારમહમદ જુણેજા(ઉ.વ.ર૧) રાત્રીના તેના ઘરે હતો. ત્યારે તેના મામાજી સસરા ઈકબાલ મોતીભાઈ દલ, સાસુ રસિદાબેન સુલેમાનભાઈ રાજા, સાળો મયુદીન ઉર્ફે બાપુ સુલેમાન રાજા અને સાળી મીનાઝર સુલેમાન રાજાએ યુવકના ઘરે આવી રૂપીયા પ૦,૦૦૦ ઉછીના આપ તેમ કહ્યું હતું. આથી યુવાને હાલ મારી પાસે પૈસા નથી એમ કહેતા સારે જણાએ ઉશ્કેરાઈ જઈને અંજુમને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ઈકબાલ તથા મોયુદીને લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.
error: Content is protected !!