શ્રી સોરઠીય શ્રી ગૌડ માળવીય બ્રહ્મ સેવા સમિતિ જૂનાગઢ દ્વારા ભૂતનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી રાસોત્સવની ભવ્ય ઉજવણી

0

શ્રી સોરઠીય શ્રી ગૌડ માળવીય બ્રાહ્મ સેવા સમિતિ જૂનાગઢ દ્વારા છેલ્લા સાત વર્ષની ભવ્ય સફળતા બાદ નવદુર્ગાની અસીમ કૃપાથી આ વર્ષે પણ યુવાનોના થનગનાટ તથા આપણી દિકરી આપણે ત્યાંના સકારાત્મક હેતુ સાથે નવલા નોરતાની ઉજવણી અંતર્ગત ૧પ ઓકટોબરથી ર૪ ઓકટોબર દરમ્યાન ભૂતનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી રાસોત્સવ-ર૦ર૩નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને નવરાત્રી મહોત્સવની ભકિતભાવભેર ઉજવણી કરવામાં આવી રહેલ છે. સમિતિના પથદર્શક મહેન્દ્રભાઈ ભટ્ટ, સનથભાઈ પંડયા, ધીરૂભાઈ પુરોહિત, શૈલેષભાઈ દવે તેમજ પ્રમુખ આકાશ દવે, મહામંત્રી કેતન ભટ્ટ, ઉપપ્રમુખ વિરાજ પંડયા, ખજાનચી હિતેષ પુરોહિત, મંત્રી પીયુષ પુરોહિત, સહ ખજાનથી જીગ્નેશ ભટ્ટ તેમજ રાજુભાઈ દવે, ભાર્ગવ દવે, ભાવેશ પુરોહિત, યોગેશ પુરોહિત, નિરવ પુરોહિત, નિનાદ પંડયા, હાર્દિક પુરોહિત, હેરત પુરોહિત, દર્શિત દવે, હારીત પુરોહિત, દેવમ પંડયા, હેમાંગ દવે, જય ભટ્ટ, પાર્થ ભટ્ટ, ધાર્મિક ભટ્ટ, ચિંતન પુરોહિત, સ્મિત દવે, કશ્યપ દવે, કરણ પંડયા, પ્રીયાશું પુરોહિત, ભાર્ગવ પંડયા, કેયુર પુરોહિત તેમજ રાજુભાઈ પુરોહિત, શુભેચ્છક અજીતભાઈ પંડયા, ભાવિકભાઈ પંડયાના સહયોગ સાથે રાસોત્સવને સફળ બનાવવામાં આવી રહેલ છે. તેમજ સુર મંદિર ઓરક્રેસ્ટ્રાના સથવારે જયેશ ભટ્ટના સુરીલા કંઠના સથવારે રાસોત્સવ ઉજવાય રહ્યો છે.

error: Content is protected !!