ભવનાથ ખાતે સંતો અને દત્ત ભકતોનું સંમેલન અને જાહેર સભા

0

શ્રી ગુરૂ દત્તાત્રેય સંસ્થાન ગિરનાર દ્વારા સંતો અને દત્ત ભકતોનું સંમેલન અને જાહેર સભાનું આયોજન કરેલ છે. તા.ર૮-૧૦-ર૦ર૩ સાંજે ૪ કલાકે ભવનાથ તળેટી મેદાન ખાતે સંતોનું આ સંમેલન યોજાશે. દત્ત શિખર, શ્રી ગુરૂ દત્તાત્રેય ચરણ પાદુકા મંદિર ગિરનાર જે સનાતન હિન્દુ ધર્મનું શ્રધ્ધા અને આસ્થાનું પવિત્ર સ્થળ છે તે સિધ્ધ ક્ષેત્ર ઉપર દિગંબર જૈન સમાજના લોકો દ્વારા થયેલા હુમલા અને હિન કૃત્યના વિરોધમાં પ્રશાસન દ્વારા એફઆઈઆરની નોંધણી થાય તે માટે ગુજરાતના સંતોએ દત્ત ભકતોનું આ સંમેલન અને જાહેરસભા યોજવામાં આવી રહી હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!