પ્રાચી તીર્થ ખાતે સદગુરૂ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડવૈદ નિદાન કેમ્પ તથા જનરલ ચેક કપ કેમ્પ યોજાયો

0

પ્રાચી તીર્થ ખાતે સદગુરુ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો આ કેમ્પમાં આજુબાજુ વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પના દાતા મનસુખભાઈ હીરાભાઈ વાળા બોસન તથા શ્રી પાધેશ્વરી આશ્રમ મટાણા ના ઉપવાસી સંત કરસનદાસ બાપુ તથા ડો. પ્રવીણભાઈ રાઠોડ તથા ડો. ભગીરથ સિંહ રાઠોડ તથા શ્રી તથા ડો. પાલાભાઈ સોલંકી તથા ગોવિંદભાઈ બામણીયા તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ના પરિવારજનો ના કર કમલો દ્વારા દિપ પ્રાગટય કરી તથા ગાયત્રી પરિવાર ના કાર્યકર્તા પત્રકાર જાદવભાઇ ચુડાસમા એ કેમ્પને ઉદ્‌બોધન કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ તકે વિશ્વના કલ્યાણ તથા સૌનો સદબુદ્ધિ તથા ઉજજવળ ભવિષ્ય તથા ગાયત્રી મહામંત્ર તથા પાંચ મહામૃત્યુંજય મંત્રનો સામુહિક જાપ કરવામાં આવેલ તથા ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમુર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જીવન સંદેશ આવેલ લોકોને હૃદય ગંમ કરવા આહવાન કરેલ હતું આ કેમ્પ ના ડો. પ્રવીણે કુલ ૧૧૨
દર્દીઓ ને તપાસી જેમાં થી ૨૫ દર્દીઓ ને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયેલ હતા તથા હાર્ડવૈદ રવિરાજ બેરડીયા તાલાળા તથા મિલનભાઈ ચોવટીયા પ્રાચી પગ સાંધા ના દુખાવાના ૩૦ દર્દીને તપાસી સારવાર આપી હતી તથા ડો.ભગીરથ સિંહ રાઠોડે ૬૦ દર્દીઓને તપાસી અને
વિના મૂલ્યે દવા આપી હતી તથા આ તકે દાતા તરફ થી સૌના માટે ચા – પાણી તથા સાદા સુંદર ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં હતી આ કેમ્પને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી ( બોસન ) તથા નાથાભાઇ સોલંકી ( થરેલી ) તથા નારણભાઈ વાળા ( પાધરૂકા ) તથા નરસિંહભાઈ વાઢેર છગિયા તથા રોહિતભાઈ દરબાર અમરાપુર તથા વજુભાઇ ગોહિલ છગીયા તથા રાહુલભાઈ રાઠોડ બોસન તથા ભલુભાઈ વાળા બોસન તથા જુસબભાઈ વડાળા તથા વાલાભાઈ
કંટાળા તથા દિવાળીબેન પ્રાચી તથા સોનીબેન ગોરખમઢી તથા પત્રકાર જાદવભાઇ
ચુડાસમા પ્રાંચી તથા સેવાભાવી ભાઇ બહેનો દ્વારા ખુબ જ જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો.
(તસવીરઃ જાદવભાઈ ચુડાસમા

error: Content is protected !!