આવતીકાલે સાતમા નોરતે માં કાલરાત્રીની પૂજા

0

સાતમું નોરતું માતા કાલરાત્રીનું પૂજન માતાજી નવદુર્ગાની સાતમી શક્તિ એટલે કાલરાત્રી માતાજીના શરીરનો રંગ કાળો છે અંધકારમય છે . માતાના વાળ વિખરેલા છે ગળામા વીજળીની માળા પહેરેલી છે તે એકદમ ચમકે છે માતાજીના શ્વાસથી અગ્નિ ઉત્પન્ન થાય છે અને ભયંકર જવાળાઓ નીકળી રહેલી છે . વાહન ગધેડાનું છે માતાજીના ચાર હાથમાં જમણા હાથોમા વરદાનની મુદ્રા છે તથા આશીર્વાદ માતાજી આપે છે ડાબા હાથમાં લોઢાના કાટાળુ છે તથા ઉપલા હાથમા ખડગ છે એટલે કે કટાર છે . માતાજીનું સ્વરૂપ એકદમ ભયાનક છે . તો પણ માતાજી ભક્તોને શુભફળ આપવાવાળા છે .
માતાજી કાલરાત્રીની ઉપાસના કરવાથી બધી જ પ્રકારની સિધ્ધિ પ્રાપ્ત થાય છે અને બધા જ પાપો અને વિઘ્નો દૂર થાય છે . માતાજી કાલરાત્રી દુષ્ટોનો વિનાશ કરે છે . કાલરાત્રી માતાજીની ઉપાસનાથી ગ્રહબાધા દૂર થાય છે . માતાજીનું ધ્યાન પૂજા કરવી જાેઈએ .
કાલરાત્રી માતાજીની ઉપાસનાનો મંત્ર – મંત્ર ઓમ હ્રીં શ્રીં કલીં દુર્ગાતી નાશિન્ય સ્વાહા
નૈવેદ્યઃ માતાજીને ગોળની બનાવેલી વાનગીનું નૈવેદ્ય ધરાવાથી ગ્રહપીડા દૂર થાય છે .
શાસ્ત્રી રાજદીપ જાેશી (વેદાંત રત્ન)

error: Content is protected !!