આવતીકાલે આઠમા નોરતે મહાગૌરીની પૂજા

0

આઠમું નોરતું મહાગૌરી માતાજીનું પૂજન માતાજીનું આઠમું સ્વરૂપ નામ મહાગૌરી છે.
માતાજીનું સ્વરૂપ એકદમ ગૌર છે એટલે કે સફેદ છે માતાજી આઠ વર્ષની બાળાના સ્વરૂપમા બીરાજે છે . માતાજીને ચાર હાથોમા જમણા હાથમા વરદાન મુદ્રા છે તથા ત્રિશુળ છે . ડાબી બાજુના હાથોમા ડમરૂ અને અભય મુદ્રા છે . મહાગૌરી માતાજીની પૂજાની ઉપાસના નવરાત્રિના આઠમા નોરતે થાય છે . શ્રી રામચંદ્ર ભગવાને પણ માતાજીની ઉપાસના કરેલ અને આ દિવસે માતાજીએ રામ ભગવાનને સિદ્ધિ ના આશીર્વાદ આપેલ
માતાજીની ઉપાસના કરવાથી અમોધ સિધ્ધિની પ્રાપ્તિ થાય છે અને ભક્તોનું કલ્યાણ થાય છે . સાથે પાછલા જન્મોમા કરેલા પાપો નો પણ ક્ષય થાય છે . માતાજીની કૃપાથી અલોકીક સિધ્ધિની પ્રાપ્તી થાય છે . જે મનુષ્ય માતાજીની ભક્તિ ભાવથી પૂજા કરે છે તેમને માતાજી વરદાન આપે છે અને તેમની બધી જ શુભ મનોકામના પૂર્ણ થાય છે.
માતાજીનો મંત્ર : ઓમ ક્રીં હ્રી વરદાય નમ:
નૈવેદ્ય : માતાજીને શ્રીફળ અર્પણ કરવું માતાજીને શ્રીફળ અર્પણ કરવાથી મનની બધી જ શુભ મનોકામના પૂર્ણ થાય છે.

error: Content is protected !!