ખંભાળિયાની સુપર માર્કેટ ખાતે હવન યોજાયો

0

ખંભાળિયાની મેઈન બજાર વિસ્તારમાં આવેલી સુપર માર્કેટ ખાતે સ્થિત મહારાજા જામસાહેબ બાપુના સમયની તિલાટ મેળી ખાતે દર વર્ષે નવરાત્રી પર્વે ખાસ હવનનું આયોજન કરવામાં આવે છે. સુપર માર્કેટ વેપારી મંડળ દ્વારા આ વખતે પણ નવરાત્રી હવન યોજાયો હતો. જેમાં અહીંના જાણીતા વેપારી કંસારા પરસોતમભાઈ ભૂત પરિવારે હવનમાં ઉપસ્થિત રહી અને પૂજન કર્યું હતું. આ આયોજનમાં સુપર માર્કેટના વેપારીઓ પણ સહભાગી થયા હતા.

error: Content is protected !!