સોમનાથ અને ભગવાન દ્વારકાધિશને ૪રપ-૪રપ કમળફુલો-છપ્પનભોગ ધરાયો

0

ભારતના બાર જયોતિર્લીંગ સોમનાથ મહાદેવને આજે વિદેશમાં વસતા ભારતીય યુવતીએ સોમનાથ દાદાને અંતઃકરણપુર્વક પ્રાર્થના, અરજ, પુજા કરી વર્ષ ર૦ર૪ની ચુંટણીમાં નરેન્દ્ર મોદી ૪રપ સીટથી પણ વધુ બેઠકો મેળવી જંગી વિજયથી વિજેતા થાય અને પુનઃ તેઓ જ ભારતના વડાપ્રધાન બને તેવી વિશેષ પુજા કરી હતી.
અમેરીકાના ફલોરીડાના ટેમ્પા શહેરમાં વસવાટ કરતા પુજાબેન ફુલારાએ સોમનાથ મહાદેવ અને ભગવાન દ્વારકાધિશને ૪રપ જેટલા કમળફુલો ચઢાવી અને છપ્પનભોગ મહાથાળ ધરી આગામી ચુંટણીમાં નરેન્દ્ર મોદીની ભવ્ય વિજય થાય તે માટે વિશેષ પુજા કરી હતી.

error: Content is protected !!