બેંગ્લોરમાં લેઉવા પટેલ સમાજના ગરબા-સ્નેહમિલન અને ગરબા નાઈટ કાર્યક્રમમાં નરેશભાઈ પટેલે આપી હાજરી

0

શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ- બેંગ્લોર દ્વારા ગત તારીખ ૨૯ ઓક્ટોબરના રોજ બેંગ્લોરની ધરતી પર સ્નેહમિલન અને ગરબા નાઈટ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. બેંગ્લોર ખાતે મોટી સંખ્યામાં લેઉવા પટેલ સમાજના પરિવારો વસવાટ કરી રહ્યા છે. ત્યારે તમામ પરિવારો એકજૂટ થઈને એકબીજાને મદદરૂપ થઈ શકે અને સામાજિક સંગઠન મજબૂત બની રહે તે હેતુંથી વર્ષોથી બેંગ્લોરમાં શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ- બેંગ્લોર ટ્રસ્ટ બન્યું છે. ત્યારે આ ગ્રુપ દ્વારા અવાર નવાર સામાજિક-ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ગત તારીખ ૨૯ ઓક્ટોબર ને શરદ પૂર્ણિમાના રોજ બેંગ્લોરના બનારઘાટા રોડ પર આવેલા કલ્યાણી કલામંદિર ખાતે સ્નેહમિલન અને ગરબા નાઈટ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું હતું. જેમાં સૌએ સાથે મળીને મા ખોડલની આરતી કરી હતી અને ત્યારબાદ મહાનુભાવોનું સન્માન અને વક્તવ્ય યોજાયું હતું. ત્યારબાદ સૌએ સાથે મળીને ગરબે રમીને મા ખોડલની આરાધના કરી હતી. આ કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. શ્રી નરેશભાઈ પટેલે સમાજની એકતાના લાભાલાભના ઉદાહરણ આપ્યા હતા. તથા વતનથી દૂર વસેલા સમાજના પરિવારને લેઉવા પટેલ સમાજ વિશે સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તદ્‌ ઉપરાંત શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા ભવિષ્યમાં થનારા આયોજન વિશે સરસ માહિતી પૂરી પાડી હતી. આપણો લેઉવા પટેલ સમાજ બીજા સમાજને પણ મદદરૂપ થાય અને તમામ સમાજ એકબીજાના સહયોગથી આગળ વધે તેવી મા ખોડલને પ્રાર્થના કરી હતી જેથી કોઈપણ સમાજના સભ્યોને ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ તકલીફ ના પડે તેવી અપેક્ષા રાખી હતી. આ કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી અને કચ્છ વાગડ લેઉવા પટેલ સમાજના અગ્રણી ભચુભાઈ અરેઠીયા, શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી બકુલભાઈ સોરઠીયા, શૈલેષભાઈ અકબરી હાજર રહ્યા હતા. કચ્છ વાગડ લેઉવા પટેલ સમાજ બેંગ્લોરના પ્રમુખ અંબાલાલ પટેલ, ભરતભાઈ બોદર સહિતના મહેમાનો હાજર રહ્યા હતા.

error: Content is protected !!