ભેંસાણ : ઝગડાના મનદુઃખે તરૂણીનો ગળાફાંસો ખાઈ આપઘાત

0

ભેંસાણ પંથકમાં ઝગડાના મનદુઃખે એક તરૂણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ બહાર આવેલ છે. ભેંસાણ પોલીસે આપેલી વિગત અનુસાર, જાન્વીબેન ડો/ઓ દિનેશભાઈ ભીખભાઈ ચૌહાણ(ઉ.વ.૧પ) સોવારીયા પ્લોટ, ભેંસાણ વાળીને તેમની બહેન ભૂમિકાબેન સાથે ગઈકાલે સાંજે બોલાચાલી અને ઝગડો થયેલ તે બાબતે લાગી આવતા પોતાની મેળે ઘરમાં આવેલ છતના હુંકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે ભેંસાણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!