નાથળીયા ઉનેવાળ બ્રહ્મ સમાજની વાડી ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

0

નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજની વાડી જૂનાગઢ ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત બ્રહ્મસમાજ જૂનાગઢ જિલ્લાના યજમાનપદે યોજાનાર આ કાર્યક્રમનું ઉધ્ધાટન ગોંડલ ભુવનેશ્વરી પીઠના પૂ.ધનરશ્યામજી મહારાજ કર્યું હતું અને પ્રમુખ સ્થાને ડો. અનિલભાઈ પી. મહેતા, સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ ટ્રસ્ટ તેમજ મુખ્ય વક્તા તરીકે શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડ વકતવ્ય આપ્યુ હતું. તેમજ મુખ્ય મહેમાન તરીકે વિજયભાઈ બુજડ, દિવ્યાપ્રકાશભાઈ ઠાકર, શિક્ષણવિદ કે.ડી. પંડયા તેમજ જૂનાગઢ શહેર ભાજપના પ્રમુખ પુનિતશર્મા સહિત બ્રહ્મસમાજના આગેવાનો ઉપસ્થિત રહી તેજસ્વી છાત્રોને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી, જીલ્લા યુવા પાંખના પ્રમુખ રવિભાઈ ઠાકર, શહેર પ્રમુખ મેહુલ દવે, મેને ટ્રસ્ટી ડી.જી. મહેતા, શૈલેષભાઈ, મયુર પુરોહિત અને સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભુદેવ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

error: Content is protected !!