સિંધાજ ગામે શ્રીરામ પ્રવેશદ્વારનું ગાયત્રી પરિવારના વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ ડો. ચિન્મયભાઈ પંડ્યા દ્વારા ઉદઘાટન

0

સિંધાજ ગામ તથા ગીર-સોમનાથ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા આયોજન

ગાયત્રી પ્રજ્ઞા પીઠ સિંધાજ સમસ્ત ગામ તથા ગીર-સોમનાથ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા શ્રીરામ પ્રવેશદ્વારના ઉદ્‌ઘાટન પ્રસંગે અખીલ વિશ્વ ગાયત્રી પરિવારના હૃદય સમ્રાટ તેમજ દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય શાંતિકુંજ હરિદ્વારના ઉપકુલ પતિ તેમજ ઘણી સંસ્થાઓના એ પ્રમુખ પણ રહેલા એવા ડોક્ટર ચિન્મયભાઈ પંડ્યાના પાવન કર કમલો દ્વારા મંગલ ઉદ્‌ઘાટન તા.૨૪-૧૨-૨૦૨૩ને રવિવારના રોજ બપોરે બે કલાકે કરવામાં આવશે. સાથે સાથે બે થી ત્રણ કલાકે તેમના ઉદબોધનનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. તો આ કાર્યક્રમમાં દરેક ભાવિક ભક્તોને લાભ લેવા માટે ગીર-સોમનાથ જિલ્લા ગાયત્રી પરિવાર તથા ગાયત્રી પ્રજ્ઞા પીઠ સિંધાજ ગામ સમસ્ત હાર્દિક આમંત્રણ પાઠવે છે.(તસ્વીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!