બિલખાના રાવતેશ્વર ધર્માલયમાં આગામી તા.ર૪ ડિસેમ્બરના રોજ હિન્દુ મહાસભાનું આયોજન

0

આ દિવસે અયોધ્યાથી આવેલ અક્ષત કુંભ અર્પણ થશે

બિલખામાં આવેલ બ્રહ્મલીન પુ. ગોપાલાનંદજી બાપુના રાવતેશ્વર ધર્માલયમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતી બિલખા દ્વારા રામ ભગવાનના આદર્શોને જન જન સુધી પહોંચાડવાના આશયથી એક હિન્દુ મહાસભાનું આયોજન કરવામાં આવેલ છે. આ દિવસે ૪ વાગ્યે યોજાનાર મહાસભામાં રર જાન્યુઆરીના રોજ અયોધ્યામાં થનાર શ્રી રામ લલાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે પણ વિશેષ માહિતી આપશે. બાદમાં અયોધ્યાથી આવેલ અક્ષત કુંભ અર્પણ વીધી કરવામાં આવશે. બાદમાં મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. વિશેષ માહિતી માટે સંજયભાઈ રાવલ મો.નં.૬૩પ૧૦ ૬૬૩૯૯નો સંપર્ક કરવા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમીતી બિલખા દ્વારા અખબારી યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!