પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ દાદાને ફૂલોનો દિવ્ય શણગાર અને ૨૦૦ કિલો ચીકુનો અન્નકૂટ ધરાવાયો

0

શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ પૂનમ નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ દાદાને ફુલોનો દિવ્ય શણગાર અને ૨૦૦ ચીકુનો અન્નકૂટ ધરાવાયો હતો. તા. ૨૬-૧૨-૨૦૨૨ને મંગળવારના રોજ દાદાને ફુલોનો દિવ્ય શણગાર ધરાવી સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા તથા સવારે ૭ઃ૦૦ કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ તેમજ મંદિરના પટાંગણમાં સમગ્ર પવિત્ર ધનુર્માસ નિમિતે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અને મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. પૂનમ નિમિત્તે સાંજે ૫ઃ૩૦ કલાકે દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન આયોજન કરવામાં આવેલ છે. હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધો હતો.

error: Content is protected !!