ગિરનાર પર બિરાજમાન અંબાજી માતાજીના પ્રાગટય દિનની થશે ભકિતભાવપુર્વક ઉજવણી

0

પર શક્તિપીઠો પૈકીની એક ઉદયનપીઠ તરીકે ઓળખાતી અંબાજી માતાજીના મંદિરે તા.ર૫ને ગુરૂવારે વહેલી સવારથી શ્રી સૂક્તના પાઠ હોમ હવન અભિષેક ધજારોહણ મહાપ્રસાદનું અનેરૂ આયોજન

ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાજી માતાજીના પ્રાગટય મહોત્સવની આગામી ગુરૂવારે એટલે કે તા.રપ જાન્યુઆરીના રોજ ભકિતભાવપુર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આ અંગે વહેલી સવારથી જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવશે. આજે પોષ સુદ આઠમનો દિવસ હોય સાંકભરી નવરાત્રીનો પ્રારંભ થયો છે અને આઠમથી પૂનમ સુધી સાંકભરી નવરાત્રી ઉજવાશે અને પૂનમનો દિવસ એટલે પોષી પૂનમના દિવસે અંબાજી માતાજીના પ્રાગટય મહોત્સવની ભકિતભાવ પુર્વક ઉજવણી થશે. આ ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિકોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. જૂનાગઢ સોરઠના પ્રભાસ ક્ષેત્રે ગરવાગઢ ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાનો પ્રાગટ્ય મહોત્સવ યાને પોશી પૂનમ એટલે જગતજનની માં અંબાજી માતાનો પ્રાગટ્ય દિવસ એને માતાજીનો જન્મદિવસ આગામી તારીખ ૨૫ જાન્યુઆરી ગુરૂવારના રોજ ધામધૂમથી ઉજવવા પર્વતોના પિતામહ હિમાલયના ઉપર દાદા એવા ગરવાગઢ ગિરનારના ૫૦૦૦ પગથિયા ઉપર બિરાજમાન માતા અંબાજીના પ્રાચીન નિજ મંદિરમાં બિરાજમાન માં અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવે મંદિરના શ્રીમહંત મોટા પીરબાવા પૂજ્ય તનસુખ ગીરીબાપુ અને નાના પીર હિમાંશુ ગીરીબાપુની નિશ્રામાં હજારો માઈ ભક્તોની હાજરીમાં માતાજીને વિશેષ સિંગાર સાથે શ્રીસુક્તના પાઠ, હોમ, હવન, ગંગાજળ, દૂધથી માતાજીને અભિષેક સાથે નિજ મંદિરના શિખર ઉપર ધ્વજા ચડાવવામાં આવશે. બપોરે મહા આરતી સાથે માતાજીને થાળ ધરીને ભાવિકોને મહાપ્રસાદ પીરસાશે. સવારના ૭ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે. આ મહોત્સવ અંગેની વિસ્તૃત ચર્ચા કરતાં મંદિરના મહંત શ્રી પૂજ્ય તનસુખગીરી બાપુએ જણાવ્યું હતું કે માતાજીની કુલ ૫૨ શક્તિપીઠો પૈકીની ગિરનાર પર્વત ઉપરની આ શક્તિપીઠ ઉદયનપીઠ તરીકે ઓળખાય છે. અહીં માતાજીના ઉદર પેટનો ભાગ પડેલો છે. જેથી ઉદયન પીઠ તરીકે ઓળખાય છે. પુરાણ કથામાં ઉલ્લેખ છે તે મુજબ દક્ષ પ્રજાપતિ રાજાએ બ્રહસ્પતિ નામનો એક મહાયજ્ઞનું આયોજન કરેલું જેમાં પ્રજાપતિ દક્ષ રાજાએ બધા દેવોને નિમંત્રિત કરેલા એકમાત્ર પોતાના જમાઈ શિવજીને આમંત્રણ ન આપતા સતિ પાર્વતીજીએ પિતાને ત્યાં આવડો મોટો યજ્ઞ થઈ રહ્યો હોય જેમાં મારા પતિ શિવ શંકરને આમંત્રણ નથી તેમ છતાં માતા યજ્ઞમાં જવા ભગવાન શિવજીની મનાઈ હોવા છતાં માતાજી પહોંચી ગયા અને પિતા દ્વારા પોતાના પતિની નિંદાસહન થતાં અત્યંત દુઃખી થયેલા માતા પાર્વતીજીએ યજ્ઞ કુંડમાં પડી જઈને પોતાનો દેહ ત્યાગીદીધો હતો. જે વાતની ભગવાન શિવને જાણ થતા શિવજીએ મારા પાર્વતીના નીસચેતન દેહને ખંભે ઊંચકી તાંડવ કરવાનું શરૂ કરી દેતા સૌ કોઈ દેવતાઓ ડરી ગયા અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી કે હે ભગવાન તમે જ કંઈક કરો નહીં તો સમગ્ર સૃષ્ટિનો સર્વનાશ થઈ જશે. ત્યારે ભગવાન વિષ્ણુએ ચક્ર દ્વારા દેવીના શરીરના ૫૨ ટુકડા કરી અને ટુકડા જ્યાં જ્યાં પડ્યા છે તે સ્થળે માતાજીની શક્તિપીઠ નિર્માણ પામી હતી. જેમાંની એક શક્તિપીઠ ગિરનાર પર્વત ઉપર માતા અંબાજીની ઉદયન પીઠ તરીકે ઓળખાય છે.

error: Content is protected !!