જૂનાગઢના પીએસઆઇ સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ

0

સુરતના યુવકને જીવલેણ મારવાના કેસમાં જૂનાગઢના પીએસઆઇ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે. સુરતમાં બી ૧૦૧ શ્રીયદ સેલિબ્રેશન ગૌરવ પથ રોડ પાલનપુર ખાતે રહેતા અને તનિષ્કા નામની ટૂર પેકેજનો વ્યવસાય કરતા હર્ષિલભાઈ લખમણભાઇ જાદવ(ઉ.વ.૪૩) વિરૂધ્ધ અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હોય જેથી ત્યાં ગયા હતા. આ યુવાન સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ ટુર પેકેજ બાબતે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ થઈ હતી. આ ગુનામાં ૯ જાન્યુઆરીના રોજ રાત્રીના હર્ષિલ જાદવનો અમદાવાદ બોડકદેવ પોલીસ પાસેથી જુનાગઢ બી ડિવિઝન પોલીસ કબજાે મેળવી તેને જૂનાગઢ ખાતે લઇ ગઈ હતી. અને તપાસ કરનાર પીએસઆઇ મુકેશ મકવાણાએ યુવકને કોર્ટમાં રજૂ કરી ૧૨ જાન્યુઆરી સાંજ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. આ દરમ્યાન પીએસઆઇ મકવાણાએ યુવાનના ભાઈ બ્રિજેશ જાદવ વગેરેને બોલાવી હર્ષિલ વિરૂદ્ધ કેસ થયો હોવાનું જણાવી રૂપિયા પાંચ લાખ માગણી કરી હતી. અમે કહેલ કે આ રકમ તમને આપી દેશો તો કે સરળ થઈ જશે અને માર પણ નહીં પડે. જીજી કરતા તેઓએ ચાર લાખ અને છેલ્લે ૩ લાખની માગણી કરી હતી. રૂપિયા ત્રણ લાખની માંગણી નહી સંતોષતા યુવાનને ધોકો અને પટ્ટાથી માર મારી ડાબા પગમાં લીગાયમેન્ટ ફાટી ગયું હતું અને જમણા પગમાં ફ્રેકચર થવાનાં કારણે બ્લડના કલોટિંગ થઈ થઈ અને છૂટા પડી હૃદય ફેફસા અને ધમની બાજુ ફસાઈ જતા હૃદયમાં બ્લડ ઓછું પહોંચતા ગંભીર ઈજા થઈ હતી. આ અંગે યુવાનના અમદાવાદ તેજલપુર વિસ્તારમાં રહેતા ભાઈ બ્રિજેશભાઈ લખમણભાઇ જાદવે ફરિયાદ નોંધાવતા જુનાગઢ બી ડિવિઝન પોલીસે પીએસઆઇ એમ. કે. મકવાણા વિરૂદ્ધ હત્યાની કોશિષનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ સીપીઆઈ આર. એમ. વસાવા ચલાવી રહ્યા છે. હર્ષિલ જાદવના રિમાન્ડ પુરા થતા તેમને પીએસઆઇ એમ.કે. મકવાણા કોર્ટમાં રજુ કરેલ. પરંતુ યુવાનના માથાના ભાગે ઈજા જાેઈને જજએ પૂછ્યું હતું કે પડી ગયો કે પોલીસે માર માર્યો. ત્યારે યુવકે પોલીસે માર માર્યો હોવાનું જણાવ્યું હતું આ સાથે જજે પોલીસ સામે ફરિયાદ કરવા માંગો છો કે કેમ તેના જવાબમાં યુવાને હા પાડી હતી. જજ ચાંપાનેરીયાએ મકવાણાનો ઉધડો લઈ કહેલ કે મારા હુકમનું પાલન કરેલ નથી તેમ જણાવી યુવાનને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ રજા મળતા એડવોકેટ મારફતે જામીન મેળવી તેને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો. જૂનાગઢ બી ડિવિઝનના પીએસઆઇ એમ.કે. મકવાણાએ ધોકા અને પટ્ટા વડે માર મારતા ગંભીર ઇજા પામેલા હર્ષિલભાઈ લખમણભાઇ જાદવ હાલ બેભાન હાલતમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દરમ્યાન ભોગબનનારના ભાઈ બ્રિજેશભાઈ લખમણભાઈ જાદવ(અનુસુચીત જાતી)ની ફરિયાદના આધારે બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.કે. મકવાણા વિરૂધ્ધ કલમ ૩૦૭, ૩૩૧ અંતર્ગત ગુનો દાખલ થયેલ છે. જેની વધુ તપાસ સર્કલ પોલીસ ઈન્સ્પેકટર આર.એમ. વસાવા ચલાવી રહ્યા છે.

error: Content is protected !!